• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • હીરાબાનો શતાયુ પ્રવેશ: PM મોદી કોમનમેન તરીકે માતાને મળ્યા, પગ ધોઈને લીધા આશીર્વાદ..

હીરાબાનો શતાયુ પ્રવેશ: PM મોદી કોમનમેન તરીકે માતાને મળ્યા, પગ ધોઈને લીધા આશીર્વાદ..

01:15 PM June 18, 2022 admin Share on WhatsApp



ગાંધીનગર: વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat visit) છે. શનિવારે તેમણે પોતાના દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે (PM Modi meets mother HiraBa) કરી હતી. રાજભવન ખાતે રાત્રી રોકાણ બાદ તેઓ સવારે 6.30 વાગ્યે માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. અહીં તેઓ પીએમ તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આવ્યા હતા. પીએમ મોદી અહીં અડધો કલાક સુધી રોકાયા હતા અને માતાના આશીર્વાદ લઈને પાવાગઢ જવા માટે રવાના થયા હતા.

પીએમ મોદીના માતા હીરાબાનો આજે 100મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે પીએમ મોદીએ માતાના ચરણો ધોઈને આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ માતાના નિવાસસ્થાન ખાતે ખાસ પૂજા પણ કરી હતી. પીએમ મોદીની મુલાકાત બાદ સોસાયટીમાં પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ આશરે અડધો કલાક માતાના નિવાસસ્થાને વિતાવ્યો હતો. પીએમ મોદીએ અહીં પૂજા કરી હતી. તસવીરમાં પીએમ મોદીના માતા સાથે હળવીપળોમાં જોઈ શકાય છે. સાથે જ પીએમ મોદી પોતાની સાથે માતા માટે ગિફ્ટ પણ લાવ્યા હતા.

માતાનો શતાયુ પ્રવેશ થતો હોવાથી પીએમ મોદીએ માતાના નિવાસસ્થાન ખાતે ખાસ પૂજા પણ કરી હતી. જે બાદમાં માતાનું મોઢું મીઠું કરાવ્યું હતું. માતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી નાના પાટલા પર બેઠેલા નજરે પડ્યા હતા. જ્યારે તેમના માતા ખુરશી પર બિરાજમાન હતા.

પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન સમયાંતરે માતાના ખબર અંબર પૂછવા આવતા રહે છે. આ દરમિયાન માતા હીરાબા પણ દીકરા નરેન્દ્રને ભેટ અને શીખામણ આપવાનું ચૂકતા નથી. માતાના ચરણોમાં પીએમ મોદી કોમનમેન તરીકે માતાના મળ્યા હતા અને માતાના ચરણો ધોઈને આશીર્વાદ લીધા હતા.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us