
ગાંધીનગર: વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat visit) છે. શનિવારે તેમણે પોતાના દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે (PM Modi meets mother HiraBa) કરી હતી. રાજભવન ખાતે રાત્રી રોકાણ બાદ તેઓ સવારે 6.30 વાગ્યે માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. અહીં તેઓ પીએમ તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આવ્યા હતા. પીએમ મોદી અહીં અડધો કલાક સુધી રોકાયા હતા અને માતાના આશીર્વાદ લઈને પાવાગઢ જવા માટે રવાના થયા હતા.
પીએમ મોદીના માતા હીરાબાનો આજે 100મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે પીએમ મોદીએ માતાના ચરણો ધોઈને આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ માતાના નિવાસસ્થાન ખાતે ખાસ પૂજા પણ કરી હતી. પીએમ મોદીની મુલાકાત બાદ સોસાયટીમાં પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ આશરે અડધો કલાક માતાના નિવાસસ્થાને વિતાવ્યો હતો. પીએમ મોદીએ અહીં પૂજા કરી હતી. તસવીરમાં પીએમ મોદીના માતા સાથે હળવીપળોમાં જોઈ શકાય છે. સાથે જ પીએમ મોદી પોતાની સાથે માતા માટે ગિફ્ટ પણ લાવ્યા હતા.
માતાનો શતાયુ પ્રવેશ થતો હોવાથી પીએમ મોદીએ માતાના નિવાસસ્થાન ખાતે ખાસ પૂજા પણ કરી હતી. જે બાદમાં માતાનું મોઢું મીઠું કરાવ્યું હતું. માતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી નાના પાટલા પર બેઠેલા નજરે પડ્યા હતા. જ્યારે તેમના માતા ખુરશી પર બિરાજમાન હતા.
પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમિયાન સમયાંતરે માતાના ખબર અંબર પૂછવા આવતા રહે છે. આ દરમિયાન માતા હીરાબા પણ દીકરા નરેન્દ્રને ભેટ અને શીખામણ આપવાનું ચૂકતા નથી. માતાના ચરણોમાં પીએમ મોદી કોમનમેન તરીકે માતાના મળ્યા હતા અને માતાના ચરણો ધોઈને આશીર્વાદ લીધા હતા.